રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરતા મુખ્યમંત્રીશ્રી દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ આગ દુર્ઘટનાની તપાસ કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટની શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.મુખ્યમંત્રીશ્રીએ આ આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશને જવાબદારી સોંપી છે.
