

સ્વર્ણિમ સંકુલ -૧ કાર્યાલય પર કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે અમદાવાદ હિન્દી શિક્ષણ સમિતિ અને નારાયણી હાઇટ્સ અમદાવાદના ચેરમેન તેમજ MD આનંદ ગોપીરામ ગુપ્તા સાથે મુલાકાત કરી ભારતીય વેદ સંસ્કૃતિ – સંસ્કાર સામાયિક દ્વારા વિદ્યાર્થીઓમાં અપેક્ષિત મૂલ્યો તેમજ સનાતન વિધિવિધાન વિશેનું મહત્વ કેવી રીતે શીખવી શકાય તે વિશે ચર્ચા કરી. આ દરમિયાન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રવાસ પર્યટન માટે આવતા શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો ને પ્રાથમિક જરૂરિયાતો માટે માળખાકીય સુવિધાઓ ઉભી કરવા બાબતે વિચાર વિમર્શ થયો.
