કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.૯.૨૮ કરોડના ખર્ચે નિર્મિત થયેલા પોલીસ વિભાગના બિનરહેણાંક મકાનોનું લોકાર્પણ કરતા શિક્ષણરાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

દેશના યુવાનો તેજસ્વી અને ઓજસ્વી બનીને વિકસિત ભારતના સંકલ્પને સાકારિત કરે માટે સરકાર કટિબદ્ધ : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા રાજય અનામત પોલીસ દળ જુથ-૧૧ માટે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ખાતે રૂ.૯.૨૮ કરોડના ખર્ચે નવનિર્મિત બિનરહેણાંક મકાનોનું લોકાર્પણ શિક્ષણરાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું હતું. પોલીસ જવાનોને વધુ સુવિધાઓ મળી રહે તે માટે રૂ.૯.૨૮ કરોડના ખર્ચે બિન રહેણાંક મકાનોમાં લાઇબ્રેરી, આંગણવાડી, શોપીંગ સેન્ટર, ગાર્ડ અને ડયુટી રૂમ, બેન્ડ સ્ટોર, કોટ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર, સમાજ અને સંસ્કૃતિને સમૃધ્ધ રાખવા માટે સારા વિચારો જરૂરી છે. એસ.આર.પી.એ ગુજરાતની આર્મીની ફોર્સ છે. રાષ્ટ્રના યુવાનો તેજસ્વી અને ઓજસ્વી બનીને રાષ્ટ્ર નવી ઉંચાઈઓના શિખરો સર કરે તે માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ભગવત ગીતા વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન મળી શકે તેવા આશયથી ધો.૬ થી ૮ના અભ્યાસમાં સિલેબસ દાખલ કરવામાં આવ્યો હોવાની વિગતો તેમણે આપી હતી. આ અવસરે હથિયારી એકમો વડોદરાના પોલીસ મહાનિરીક્ષક ડી.એચ.પરમારે કેમ્પસને નયનરમ્ય બનાવવા માટે પરિશ્રમ કરનારા પોલીસ જવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, પોલીસ જવાનોના શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે સક્રિયતા દાખવી સુવિધાયુકત આવાસોના નિર્માણની સાથે અન્ય સુવિધાઓ પણ આપી છે. એસ.આર.પી. વાવ ખાતે આપદા મિત્રોને તાલીમ આપવામાં આવે છે તથા ત્રણ ગામોને દત્તક લઈને ગામના યુવાનોને તાલીમ આપીને પોલીસ સેવામાં જોડવાનુ કાર્ય થઈ રહ્યું હોવાીન વિગતો આપી હતી. આ પ્રસંગે સ્વાગત પ્રવચન Dysp શ્રી કે. વી. પરીખ તથા આભારવિધિ એચ.જે.આચાર્યએ આટોપી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન, Dysp શ્રી એ. એેમ.પટેલ, અગ્રણીશ્રી બળવંતભાઈ, હર્ષદભાઈ, સુમનબેન, તેજલબેન, પુષ્યાબેન તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ, મયુર પટેલ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *