


રિપોર્ટ : બીના પટેલ
સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી અને આ સંદર્ભે લોકોમાં જાગરૂકતા લાવવા ના શુભ ઉદ્દેશ્યથી આણંદ જિલ્લા ના ઉમરેઠ વિધાનસભા ના ત્રનોલ ગામ માં આયોજિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકાર દીધી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા પંચાયતી ચેરમેન શ્રી બળવંત પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભરતભાઈ સોઢા, તાલુકા પંચાયત સભ્ય શ્રી સુશીલાબહેન, પૂર્વ સરપંચ શ્રી જ્યોત્સના બેન, મામલતદાર શ્રી, તથા અધિકારીગણ સહિત મોટી સંખ્યા માં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
