પ્રધાનમંત્રીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ સ્વરૂપ શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “શ્રી રામ સ્વરૂપ શર્મા એક સમર્પિત નેતા હતા, જે લોકોની સમસ્યાઓ હલ કરવા હંમેશાં પ્રતિબદ્ધ હતા. તેમણે સમાજની સુધારણા માટે અથાક મહેનત કરી હતી. તેમના અકાળ અને દુર્ભાગ્યપૂર્ણ અવસાનથી દુઃખ થયું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *