ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે પૂ. બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ પર વિશ્વકલ્યાણ અને વિશ્વબંધુત્વના સંદેશ દ્વારા દેશના નાગરિકોને પ્રેરિત કર્યા હતા.

