વલસાડ જિલ્લામાં વિવિધ આપત્તિઓ જેવી કે પુર, ભુકંપ, વાવાઝોડું, સુનામી અને ઔદ્યોગિક અકસ્મા્ત વગેરે બાબતો અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવાના હેતુસર જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવાનું થાય છે. જે સંદર્ભે વલસાડ ડ્રીસ્ટિવક ક્રાઈસીસ ગૃપ વલસાડની બેઠક નવી કલેક્ટોર કચેરી સભાખંડ, વલસાડ ખાતે જિલ્લા કલેક્ટ ર ક્ષિપ્રા આગ્રેના અધ્યડક્ષસ્થાકને મળી હતી. આ બેઠકમાં વલસાડ કલેક્ટટર ક્ષિપ્રા આગ્રેએ મોકડ્રીલ દરમિયાન કરવાની થતી કામગીરી અંગે ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઔદ્યોગિક સલામતી અને સ્વારસ્ય્મા ના નાયબ નિયામક ડી.કે.વસાવાએ મોકડ્રીલ અંગે સવિસ્તિર જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, વલસાડ અને વાપીના પ્રાંત અધિકારીઓ, જીપીસીબી પ્રાદેશિક કચેરીના પી.યુ.દવે, ઇ.ચા. સિવિલ સર્જન ભાવેશ ગોયાની, આર.ટી.ઓ. તપન મકવાણા, વલસાડ ડી.વાય.એસ.પી. મનોજ શર્મા, વાપી જી.આઇ.ડીસી.ના નાયબ પોલીસ અધિક્ષક વી.એન.પટેલ, એન.ડી.આર.એફ.ના દિપકકુમાર અને તેમની ટીમ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.


