શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ ધ્વારા ભુજ સંસ્થાના પ્રમુખ શ્રી તારાચંદભાઈ છેડાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લા ૬ મહિનાથી કોરોના સામેની લડાઈમાં સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો દાતાશ્રીઓના સહકારથી કરવામાં આવી રહ્યા છે . અત્યારે કોરોના મહા બિમારીમાં કયાંક આખો પરિવાર કોરોનાગ્રસ્ત થઈ જાય છે.ત્યારે તેમને જમવા માટેની ખૂબ જ મુશ્કેલી ઉભી થયા હોવાનું જાણવા મલતા ભુજ શહેર મધ્યે કોરોનાગ્રસ્ત થયેલ કોરોન્ટાઈન પરિવારો માટે વિના મુલ્ય ટીફીન પહોંચાડવામાં આવી રહયા છે . દાતાશ્રીઓના સહયોગથી વિના મુલ્ય ટીફીન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે . આ સેવા માટે સંસ્થાને વધુમાં વધુ દાન મળે તે માટે શ્રી તારાચંદભાઈ છેડાએ દાતાશ્રીઓને દાન આપવા માટે અપિલ કરતા માતૃશ્રી લક્ષ્મીબેન જગશી છેડા હસ્તે શ્રીમતી જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર દ્વારા રૂ . ૧૧ હજાર , શ્રીમતી પ્રિયંકાબેન હેમ શાહના જન્મદિન નિમિત્તે હસ્તે શ્રી હેક દિનેશભાઈ શાહ પરિવાર દ્વારા રૂ . ૧૧,૧૧૧ / – , શ્રીમતી શારદાબેન ભાઈલાલભાઈ મોરબીયા ( રાપરવાળા ) દ્વારા રૂ . ૧૧ હજાર , શ્રી હરેશભાઈ ચંદરાણા ( અંજારવાળા ) તરફથી રૂ . ૫ હજાર , શ્રીનાનાલાલભાઈ અનોપચંદભાઈ પરિવાર દ્વારા રૂ . ૫ હજાર , શ્રી હિનાબેન કે . વેદ ( કલકત્તાવાળા ) પરિવાર દ્વારા રૂ .૫ હજાર , કુનરિયા વિટડીયા વોરા કુટુંબના પુરશાદાદાના ભાવિકો તરફથી હસ્તે શ્રી કીર્તીભાઈ વોરા દ્વારા રૂ . ૨,૧૦૦ / – , શ્રીમતી લક્ષ્મીબેન ઓધવજી ભાભેરા દ્વારા રૂ .૧ હજાર એક કુલ્લ રૂ . ૫૦ હજાર જેટલું દાન સંસ્થાને વિના મુલ્ય ટીફીન સેવા માટે પ્રાપ્ત થયું છે . આ વિના મુલ્ય ટીફીન સેવા માટે સંસ્થાને હજી વધુમાં વધુ દાન મળે તે માટે શ્રી તારાચંદભાઈ છેડાએ દાતાશ્રીઓને દાન આપવા માટે અપિલ કરી છે . ટીફીન મેળવવા માગતા કોરોનાગ્રસ્ત હોમ કોરોટાઈન થયેલા પરિવારોએ સવારે ૧૦ વાગ્યા સુધી અને આ સેવામાં દાન આપવા માગતા દાતાશ્રીઓએ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો અથવા સંસ્થાના મો.ન. ૯૭૨ ૬૨૫૫૩૧૮ અથવા ( ૦૨૮૩૨ ) ૨૫૫૩૧૮ નો સંપર્ક કરવા સંસ્થાના મંત્રી શ્રી નરેશભાઈ શાહે જણાવ્યું છે .

