ડાંગ- આહવાનગરમાં દત્ત જયંતિ ની ઉજવાઇ

રીપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ્

આહવા ખાતે સાપુતારાનાનાકા પાસેના દત્તનગર ફળિયામાં ૩૦ વર્ષ જૂનું વારકરી સંપ્રદાય નું “દત્ત મંદિર” છે.
તા.૦૭/૧૨/૨૦૨૨ દત્તજંયતિની ઉજવણી માં બપોરે 12:00 “ગુરુ ચરિત્ર ગ્રંથ” નું પારાયણની પૂર્ણાહુતિ સાથે મહાઆરતી કરી, મહાપ્રસાદ (ભંડારો) યોજાયો. જેનો લાભ ગ્રામજનો મોટી સંખ્યામાં લાભ લીધો.
આ મંદિર ખાતે દત્તજંયતિની ઉજવણી નિમિત્તે ગામમાં ભિક્ષા ઝોળી ફેરવવામાં આવે છે. તેમાંથી જે સીધું-સામાન મળે છે એના દ્વારા આ ભંડારો દર વર્ષે કરવામાં આવે છે. હ.ભ.પ.ગબામહારાજનાં માર્ગદર્શનમાં તારીખ 01/12 થી 06 /12/22 સુધી “ગુરુ ચરિત્ર ગ્રંથ”નું પારાયણ કરવામાં આવ્યું, ભીક્ષા ઝોળી ફેરી, કિર્તન વગેરે પણ આયોજન વર્ષોથી કરવામાં આવે છે.
આ મંદિર દ્વારા દર ગુરુવારે ભીક્ષા ઝોળી મૂકવામાં આવે છે, અને દર ગુરુવારે સાંજે મહા પ્રસાદ બનાવવામાં આવે છે. શનિવારે બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે.
આ મંદિર ના સ્થાપક ને જુના ભક્તોમાં એકમાત્ર નિવૃત્ત શિક્ષક મધુભાઈ હાલ હયાત છે એમના માર્ગદર્શન માં આ તમામ કાર્યક્રમો નું આયોજન વર્ષોથી કરવામાં આવે છે. આહવા નગરજનો મોટો સહયોગ મળી રહે છે. મહારાષ્ટ્ર થી પણ ભક્તો અને સંતો ઉપસ્થિત રહે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *