આણંદની ગણેશ ચોકડી ખાતે 143 કરોડના ખર્ચે ફ્લાઈ ઓવરનું નિર્માણ થશે!!! ટ્રાફિકમાંથી મુક્તિ મળશે

રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના સાંસદ મિતેષભાઇ પટેલના અથાક પ્રયાસો થી ગુજરાત સરકાર શહેરી વિકાસ અને માર્ગ અને મકાન વિભાગના સંયુકત પ્રયાસોથી આણંદ ખાતે આવેલ ગણેશ ચોકડી ઉપર ટ્રીફિક ની સમસ્યા ને હળવી કરવા માટે 143 કરોડના ખર્ચે ફ્લાઇ ઓવર માટે રાજ્ય સરકાર દ્વારા સિધ્ધાંતિક મંજુરી આપવામા આવી છે. જે સદર બ્રિજ અમૂલ ડેરી રોડથી મંગળપુરા તરફ તેમજ રાજોળપુરા થી કલેકટર ઓફિસ સુધી ના નવીન બ્રીજની કામગીરી ટુંક સમયમાં શરૂ થશે.
