
કમલમ ન્યૂઝ રાકેશ વાળા, વ્યારા,
દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાના વ્યારા ખાતે બાલપુર ગામ મા શ્રી શિરડી સાઈબાબાનુ મંદિર આવેલ છે, ભકિત, શ્રઘ્ધા , આસ્થા નુ પ્રતીક બાબા નુ મંદિર .
આ મંદિર ના સ્થાપક શ્રી બાબા નંદજી પોતે સાઈ કથાકાર છે, સાઈબાબા ની સેવા મા પોતાનુ સમગ્ર જીવન અર્પણ કરેલ છે,સાઈ મંદિર ની બાજુમાં એક મહાદેવનુ મંદીર આવેલુ છે, સાઈ મંદિર અને મહાદેવ મંદિર દક્ષિણ ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનેલ છે. ભાવિક ભકતો, શ્રધ્ધાળુઓ ની મનોકામના પૂર્ણ થાય છે.
દક્ષિણ ગુજરાત આદિવાસી વિસ્તાર માં સાઈબાબા નુ મંદિર નયનરમ્ય વાતાવરણ માં, કુદરતી સૌંદર્ય ની વચ્ચે , શાંત વાતાવરણ મા શિરડી સાઇબાબા મંદિર જોવા લાયક સ્થળો માનુ એક સ્થળ છે.
શ્રી બાબા નંદજી દ્વારા સાઈ કથા ૧૩૬ વખત વિદેશોમાં કરવામા આવેલ છે.