


૧૫ મી ગુજરાત વિધાનસભાના સત્રની આજની કામગીરી પૂર્ણ થયા બાદ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના માન.અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સહિત તમામ ધારાસભ્યશ્રીઓએ હર્ષોલ્લાસથી “રંગપર્વ” ઉજવ્યો. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકશાહીના મંદિરે કેસૂડાના પવિત્ર જળથી, વૈવિધ્યપૂર્ણ રંગોથી, પ્રકૃતિના પુષ્પોથી, ગુજરાતના જન પ્રતિનિધિઓની ભાવપૂર્વક ઉજવણીનો આનંદ માણ્યો.