
પોષણ નુ મહત્વ સમજાવવા થયુ આયોજન–આચાર્યા તેમજ શાળા સ્ટાફ સંસ્થા સંચાલકો એ પુરૂ પાડ્યુ પ્રોત્સાહન
જામનગર ( ભરત ભોગાયતા)
વિશ્ર્વ કક્ષાએ ભારત નો રોટલો સુપ્રસિદ્ધ થયો છે એટલુ જ નહી હાલ આંતર રાષ્ટ્રીય મીલેટ યર ઉજવાય છે ત્યારે ભારતના પરંપરાગત ધાન્યો બાજરી જુવાર મકાઇ સહિત આપણી અન્ન ની વિવિધતા તેમાથી મળતુ પોષણ બાળવય થી જાણવા જરૂરી છે ત્યારે જામનગરની વટવૃક્ષ સમાન સંસ્થા વિકાસગૃહ દ્વારા સંચાલિત કન્યાશાળાની વિદ્યાર્થીનીઓની જહેમત જોવા મળી જેમણે મિલેટસ રેસીપી બનાવી હતી અને પોષણ નુ મહત્વ સમજાવવા આયોજન થયુ તેમાં આચાર્યા તેમજ શાળા સ્ટાફ સંસ્થા સંચાલકો એ દિકરીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ આ રચનાત્મક કાર્યોની ખુબ જ પ્રસંશા થઇ રહી છે

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર સંચાલિત જ. ચં.મહેતા પ્રાથમિક શાળામાં પોષણ પખવાડિયા ની ઉજવણી અને ૨૦૨૩ નું વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે ત્યારે શાળા ની ધો. ૮ ની વિદ્યાર્થીનીઓ એ મિલેટ માંથી બનાવેલ ૬૦ જેટલી વિવિધ વાનગીઓ નું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી ભાવિશા બેન ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલા આ પ્રદર્શનની મુલાકાત સંસ્થા ના પ્રમુખ શ્રી કરશનભાઈ ડાંગર, ટ્રસ્ટી શ્રી દિના બેન આસિતભાઈ મહેતા, હીરાબેન તન્ના, હસમુખભાઈ હિંડોચા, વિભાગીય વડા એ લીધી અને સૌ ને અભિનંદન પાઠવ્યા. આ સમગ્ર આયોજન પ્રધામંત્રીશ્રી દ્વારા ૨૦૧૮ થી શરૂ કરવા માં આવેલ પોષણ અભિયાન અંતર્ગત કરવા માં આવેલ.