









ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ આજે તેમના અમદાવાદના પ્રવાસ દરમિયાન અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી એસ.આર.પી અનુપમ શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહરાજ્યમંત્રી શ્રીએ શાળાના અધ્યતન સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, રોબટિંગ રૂમની પણ લીધી હતી તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, શિક્ષણ બોર્ડના ચેરમેન શ્રી સુજોય મહેતા, ડેપ્યુટી ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ કાઉન્સિલર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.