



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
વાલિયા ખાતે રંગ ઉપવનમાં નારેશ્વરના નાથ એવા પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ રચિત ગુરૂ લીલામૃત નો 19 મો નાટ્ય પ્રયોગ વલસાડ અને ભરૂચ ના રંગ અવધૂત પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો પ્રથમ દિવસે વાલિયા તેમજ તાલુકાના આજુબાજુના વિસ્તાર ના 2500 થી વધુ રંગ ભક્તો એ ભાગ લીધો જેમાં ગુરુ લીલા મૃત ત્રણ સોપાન પૈકી નો પ્રથમ એવો જ્ઞાનકાંડ નો મંચન કરવામાં આવ્યું જેમાં દત્તાત્રેય ભગવાનનો અવતાર કાર્ય અને તેની લીલાઓ બતાવવામાં આવી ત્યારબાદ કર્મકાંડના પ્રથમ ભાગમાં શ્રીપાદ શ્રી વલ્લભ ની લીલાઓ નું મંચન કરવામાં આવ્યું હતુ.