





ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ વોર્ડ નંબર 03 માં સરકારી પ્રાથમિક શાળા, સેકટર-24 ખાતે “વૃક્ષારોપણ” કાર્યક્રમમાં સહભાગી બનીને છોડનું રોપણ કર્યું. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે આવો, આપણે સૌ પર્યાવરણ જાળવણીને નૈતિક જવાબદારી સમજીને વધુ વૃક્ષારોપણ કરીએ તેમજ તેના જતનનો સંકલ્પ લઈએ.
આ દરમિયાન શહેર અઘ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.