જાથાની વિચારધારાને અનુલક્ષીને માનવતાલક્ષી પગલું લીધું.

સદ્દભાવનામાં ૧૬૦ બુજર્ગોને ભોજન કરાવશે.


વર્તમાન સમયમાં ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ શ્રાધ્ધ પક્ષના દિવસો છે. દિવંગતના માનમાં પ્નદેશ પ્નમાણે રીત–રિવાજો જોવા મળે છે. લોકો પોતાની શ્રધ્ધા પ્નમાણે અનુસરતા હોય છે. ભારત જન વિજ્ઞાન જાથાની વિચારધારાને માનનારો સમુહ મોટા પ્નમાણ છે તેથી રવિવારે પિતૃને કોરાણે મુકી સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં ૧૬૦ બુર્જગોનો સામુહિક ભોજન સમારોહ રાખવામાં આવ્યો છે.
જાથાના સદસ્ય વિરડા વાજડીના દિનેશ હુંબલના પિતા રાવતભાઈનું વર્ષ ર૦ર૧ માં અવસાન થયું હતું. ધાર્મિક માન્યતા પ્નમાણે ત્રણ વષ્ર્ો શ્રાધ્ધમાં ભળે છે. પરિવાર અને કુટુંબીજનો પિતૃ કાર્યના વિધિ–વિધાનનો મત સાથે આગ્રહ કર્યો હતો પરંતુ જાથાની વિચારધારાને માનનારા જન્મે છે. તેનું મૃત્યુ શાશ્વત છે, મૃત્યુ પછીની તમામ વિધિઓ, કાર્યો, શ્રાધ્ધ કે પિતૃ કાર્યમાં વિશ્વાસ કે શ્રધ્ધા ધરાવતા નથી. તેથી જામનગર રોડ ઉપર આવેલ સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રવિવાર તા. ૮ મી ઓકટોબરે ૧૬૦ બુજર્ગો માટેનો ભોજન સમારંભ રાખેલ છે. માનવીય અભિગમ જ કલ્યાણકારી છે. આ પ્નસંગે પરિવારના માતા રત્નાબેન, ગીતાબેન, મિલન, માધવ અને જાથાના સદસ્યોની હાજરીમાં દિવંગતને યાદ કરી તેના કાર્યોને જીવનમંત્ર કાયમી બનાવવાનો નિર્ધાર અમલમાં છે.
અંતમાં દિનેશભાઈએ ખોટા રીત રિવાજો, કુરિવાજો, કર્મકાંડ–ક્રિયાકાંડોને ફગાવવાની પ્નતિજ્ઞા સાથે માનવતાના કાર્યોની જ્યોત કાયમ પ્નજવલ્લિત રાખવાનો નિર્ધાર કરી કુદરત–પ્નકૃતિના નિયમોનું પાલન સાથે માનવ–રાષ્ટ્ર ધર્મને અનુસરવાની પહેલ કરી પ્નચાર–પ્નસારમાં જોડાવવાનો નિર્ધાર કરેલ છે. સૌ કોઈને પોતાની રીતે માનવા–ન માનવાનો અધિકાર છે તેવું અંગત માને છે. મૃત્યુ પછીના તમામ ક્રિયાકાંડો, સ્વર્ગ, નર્ક વિગેરે અવૈજ્ઞાનિક અપ્નસ્તુત છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *