
રિપોર્ટ. ડેવિડ પટેલ.
દૂધસાગર ડેરીના યશસ્વી ચેરમેન અશોકભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, દૂધ સાગર ડેરીના ડિરેક્ટર દિલીપભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી જે. એફ. ચૌધરી તેમજ સંગઠનના હોદ્દેદારોએ આજરોજ વિસનગર તાલુકાના ગુંજા ખાતે શ્રી. નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાં પૂજા અર્ચના કરી પ્રભુ ભોળાનાથના આશીર્વાદ મેળવ્યા આ પ્રસંગે દૂધસાગર ડેરીના ચેરમેનશ્રી અશોકભાઈએ મંદિરના પૂજારી શ્રી શંભુગીરી મહારાજનું સાલ ઓઢાડી સન્માન કર્યુ તેમજ મંદિરના પ્રમુખશ્રી વાસુભાઈ અને મંત્રીશ્રી શૈલેષભાઈ દ્વારા દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરીનું અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું
