
મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પી.સી.બરંડા અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત
વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) વી.બી.જી રામ જી અધિનિયમ–૨૦૨૫ અંતર્ગત મહીસાગર જિલ્લામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી અને મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પી.સી.બરંડા અને સંતરામપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહી યોજનાની રૂપરેખા, ઉદ્દેશ્યો અને ગ્રામિણ રોજગાર સર્જન માટે સરકારની પ્રતિબદ્ધતા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી. આ તકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી શ્રીમતી મુક્તિબેન જોષી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ બારીયા, પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ,બાલાસિનોર ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ, મહામંત્રીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા