જામકંડોરણના ક્ષત્રિય સમાજ ના આગેવાનો અને યુવાનો દ્વારા જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજી 481 મી જન્મજયંતી ની ઉજવણી કરાઈ.

આજે મહારાણા પ્રતાપસિંહજી ની 481 મી જન્મજયંતી છે.કોરોના મહામારી ને લીધે સીમિત સંખ્યા માં જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે આગેવાનો અને યુવાનો મળ્યા હતા.જામકંડોરણા રાજપૂત સમાજ ખાતે સમાજ માં યુવાનો દ્વારા મહારાણા પ્રતાપસિંહજી ની તસ્વીર ને ફુલહાર કરી નમન કરી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાજપૂત સમાજ ના માજી પ્રમુખ તેજુભા જાડેજા પીપરડી,ગૌ સેવા સમિતી ના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા પીપરડી, શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ હરપાલસિંહ જાડેજા પાદરિયા અને વનરાજસિંહ ચૌહાણ આચવડ હાજર રહ્યા હતા.

રિપોર્ટ હરપાલસિંહ જામકંડોરણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *