રીપોર્ટ -અજય ખત્રી – કચ્છ
બંદરિય શહેર માંડવી ના જૈન યુવકો એ વડીલો ને પૂજા નો લાભ અપાવ્યો આચાર્યભગવંત શ્રીમદ્ વિજયકલ્પતરુસૂરીશ્વરજી_ મહારજશાએબ ની નિશ્રા માં એમના આશર્વાદ મેડવી ને દર વર્ષે ની જેમ આ વર્ષે પણ માંડવી ના જૈન યુવકો દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે માંડવી શહેર ના વિવિધ વિસ્તારો માં રહેતા અશક્ત વડીલો માટે ધરે જઇ ને ભગવાન ની પૂજા કરાવવા નું આયોજન કરવા માં આવ્યું હતું. પક્ષાલ પૂજા , પુષ્પ, દુપ , દિપક , ચામર , દર્પણ , ઘંટનાદ પૂજા નું લાભ વયોવૃદ્ધ વડીલો ને મળ્યો હતો. આ સેવા કાર્ય માં હર્ષ શાહ, અક્ષય સંઘવી, જયવીર પટવા , મહેક મેહતા, ઝરણ શાહ, જિનેશ શાહ , પ્રતીક મેહતા, ચૈત્ય મેહતા, ભુમિશ શાહ, યસ શાહ , વર્ષીપ શાહ, લાંતિક શાહ સહિત યુવાનો જોડાયા હતા.


