

ગત તા ૧૨/ ૬/૨૨ના રોજ કોડીનાર તાલુકાના જંત્રા વાડી ગામે દશનામ ગોસ્વામી સમાજની આઠ વરસની બાળા શ્રદ્ધા ઉપર શામજી ભીમા સોલંકી નામના હેવાન દ્વારા બળાત્કાર કરી ગળું દબાવી નિર્મમ હત્યા કરી લાશને કોથળામા નાખી ગામના ઝાપાની બહાર ફેકી દીધાની આ અરેરાટીભરી ઘટનાને વખોડી કાઢી આ બનાવના આરોપીને કડકમાં કડક ફાસીની સજા થાય તે માટે સુરતના ગ્રીસ્મ કેનીલ ની જેમ આ કેસ પણ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે તથા આ બનાવના અસરકર્તા કુટુંબને સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલીક અસરથી સહાય ચુકવવાની માંગ સાથે જામ – જોધપુર દશનામ જ્ઞાતિ સમાજ દવારા મુખ્યમંત્રીને આવેદન પગ જમ-જોધપુર મામલતદાર દ્વારા આપેલ હતુ
