વલસાડમાં હર ઘર તિરંગા થીમ ઉપર ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપ યોજાશે

બાળકોને ચિત્રકામ માટે જરૂરી સામગ્રી વિનામૂલ્યે આપવામાં આવશે  

લસાડ જિલ્લામાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ થીમ ઉપર ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે આગામી ઓગસ્ટ માસમાં લલિત કલા અકાદમી, જિલ્લા યુવા વિકાસ અધિકારી વલસાડ અને જિલ્લા રમત ગમત કચેરી દ્વારા ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ વર્કશોપનો મુખ્ય હેતુ બાળકોની ચિત્રકલામાં રૂચિ વિકસાવવાનો અને ચિત્રકલાના વિવિધા માધ્યમોની જાણકારી આપવાનો છે. આ વર્કશોપમાં ભાગ લેનારા બાળકોને અત્રેની કચેરીએથી ચિત્રકામ માટે જરૂરી સામગ્રીઓ જેવી કે, પેન્સિલ, રબર, કલરબોક્સ તેમજ ડ્રોઈંગ પેપર વિનામૂલ્યે આપવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે નિયત નમૂનાનું અરજીપત્રક(ફોર્મ) જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ. કચેરી, પહેલા માળે, હાલર રોડ, વલસાડ ખાતેથી મેળવી તા.૧-૮-૨૦૨૨ સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. સમયસર અરજી કરનાર અરજીકર્તાને વર્કશોપ કાર્યક્રમ અંગેની વિગતવાર માહિતી કચેરી દ્વારા આપવામાં આવશે. 

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM