
રણાસણ ખાતે અંબાજી દર્શને જતા પદયાત્રીઓ માટે વિશાળ વિસામો અંબાજી પદયાત્રીઓ માટે રણાસણ ખાતે વિસામો અને અવિરત ભોજન મહાપ્રસાદનું ખુબજ સુંદર આયોજન કરવા બદલ જિલ્લા સંગઠન પ્રમુખ અરવલ્લી જિલ્લો શ્રી રાજેન્દ્રભાઈ પટેલ અને એમની સંગઠન ટીમ સહિત જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ ને ખૂબ ખૂબ અભિનંદન વિસામા ખાતે સેવા આપી રહેલા શ્રી રાજેન્દ્રભાઈ પટેલ અંકિતભાઈ પટેલ .મોડાસા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી ભિખુસિંહ પરમાર અને જયશ્રીબેન દેસાઈ દ્વારા વિસામા ના એન્ટ્રી ગેટ પર ઊભા રહીને ધનસુરા મોડાસા હાઇવે પર આવી રહેલા વિવિધ જિલ્લાના પદયાત્રીઓને ખુબજ ભાવથી આવકારી આગ્રહપૂર્વક પ્રસાદ ભોજન લેવા વિનંતી કરતા જોવા મળ્યા હતા આ દૃશ્ય જોઈને ખુબજ ગૌરવની લાગણી અનુભવતા અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએએ પણ વિસામા ની મુલાકાત કરી માતાજી ના દર્શન કરીને આ ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા તમામને મળીને અભિનંદન.આપી માતાજી સૌની મનીકામનાઓ પૂર્ણ કરે અને આપના સૌના સુખ શાંતિ અને સમૃદ્ધિ માન મોભામાં ઉત્તરોત્તર વધારો કરે તેવી મા અંબા ભવાની જગદંબા દેવી જી ને દિલ થી પ્રાર્થના કરી પ્રસાદી લીધી હતી
