
ગુજરાત ભાજપ યુવા મોર્ચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં યુવા મોરચા દ્વારા રનફોડ ડેવલપમેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઇ ઉના વિધાનસભામાં પણ કાર્યક્રમ યોજાયો હતો જે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ત્રણ કિલોમીટર જેટલું મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવા મોરચા જિલ્લા પ્રમુખ હિતેશભાઈ ઓઝા, યુવા મોરચા વિધાનસભા સંયોજક કુણાલભાઈ સોલંકી જીલ્લા યુવા મંત્રી હાર્દિકભાઈ પાનસુરીયા, ઉના શહેર યુવા મોરચા પ્રમુખ વિનોદભાઈ બાંભણિયા,ગીરગઢડા યુવા મોરચા પ્રમુખ અશ્વિનભાઈ વાઘેલા, મહામંત્રી કિરીટભાઈ વાજા ઉપપ્રમુખ કિશનભાઇ મકવાણા તેમજ ગુરુકુળના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા આ મેરેથોન દોડને આચાર્ય દ્વારા ગુરુકુળના વિદ્યાર્થીઓને લીલી જંડી આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં યુવાનો મેરેથોન દોડને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે યુવાનો દ્વારા સ્ટેજ પરફોર્મ્સ રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં ગુરુકુળના આચાર્યશ્રીઓ તેમજ ઉના શહેર ગીર ગઢડા યુવા મોરચાના બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા
