

બારડોલી — સંજય પટેલ
ભારતદેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રમોદી સાહેબની લિંબાયતની જાહેર સભા દરમિયાન સચિન સાતવલ્લા પુલને 33 કરોડના ખર્ચે બનાવવા માટેનું ઈ-ખાતમહૂર્ત કરાયું હતું. આ પુલને નવેનામથી બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ-નવસારી સાંસદ શ્રીમાન સી.આર પાટીલ સાહેબે પણ અમારી રજૂઆતોને ગંભીરતાથી લઈને અંગત રસ લીધો હતો. સુરત-નવસારીને ટ્વીન સીટી તરફ દોરી જવા માટે ચોર્યાસી તાલુકાના મહાનગરપાલિકા વોર્ડ-30ની હદમાં આવેલાં આ પુલને બનાવવા સુરત મહાપાલિકાએ તા.12મી-ઓક્ટોબર-2022નાં રોજ સવારે 9.30 વાગ્યે કામ શરૂ કરતાં સુરત જિ.ભા.જ.પા પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ એ સ્થાનિક પદાધિકારીઓ સાથે મુલાકાત લઈ કામગીરી પહેલાનું નિરીક્ષણ કરી વિવિધ નકસાઓ ચકાસી શક્ય તેટલું ઝડપથી કામ પૂર્ણ કરવા ઈજારદારને સૂચનો કર્યા હતાં…

