૩૭મી અખીલ ગુજરાત ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધા-૨૦૨૩માં ગીર સોમનાથના બે સ્પર્ધકોએ પ્રથમ સ્થાન મેળવ્યુ

૩૭મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જોમ અને જુસ્સા સાથે રાજયના સૌથી ઉંચા પર્વત  ગિરનારને સર કરવા ૧૨૨૭ સ્પર્ધકોએ દોટ મુકી હતી. જેમાં ૪૮૧ સીનીયર ભાઈઓ, ૪૧૭ જુનીયર ભાઈઓ, ૧૫૭ સીનીયર બહેનો, ૧૭૨ જુનીયર બહેનોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં ૪૧.૩૬ મીનીટના સમય સાથે સીનીયર બહેનોમાં ગીરસોમનાથના વાળા પારૂલ પ્રથમ આવ્યાં હતાં. જ્યારે જુનીયર ભાઈઓમાં ગીર સોમનાથના ડાભી યોગેશે ૫૮.૪ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ રીતે ગીર સોમનાથના બન્ને સ્પર્ધકો વિજેતા થયા હતાં. વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. આ સાથે જિલ્લાના સ્પર્ધકોએ આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM