







ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા અંજાર શાખાના યજમાન પદે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો કચ્છ વિભાગીય તબક્કો રવિવારે પૂર્ણ થયો, જેમાં કચ્છ વિભાગની આઠમાંથી છ શાખા એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વિભાગીય તબક્કામાં ગાંધીધામની શાખા વિજેતા બની હતી જ્યારે ઉપવિજેતા તરીકે વર્ષામેડી શાખા રહી હતી. ફાઇનલના મેન ઓફ ધ મેચ ગાંધીધામ શાખાના ટીમ કપ્તાન શ્રી દિલીપ મજીઠીયા, ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન ગાંધીધામ શાખાના ઉપ કપ્તાન ડૉ. દેવેન્દ્ર ઠક્કર, અને મેન ઓફ ધ સીરીઝ તરીકે ગાંધીધામ શાખાની ટીમના ખેલાડી ડૉ.મનન ઠક્કર રહ્યા હતા. હવે આ ટુર્નામેન્ટનો પ્રાંતીય તબક્કો ટૂંક સમયમાં યોજાશે, જેમાં ગાંધીધામ અને વર્ષામેડી શાખા ભાગ લેવા પોરબંદર જશે.
