
અત્યારના સમયમાં દિન પ્રતિદિન કેન્સરના રોગનું મુખ્ય કારણ વ્યસન માનવામાં આવે છે. આજનું યુવા ધન ફેશનની સાથે વ્યસનમાં પણ જાણી સ્પર્ધા કરવા લાગી હોય તેવું લાગી રહ્યું છે કોલેજનું યુવાધનમાં વ્યસન પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે મોડાસા આરોગ્ય ખાતાના અધિકારી શ્રી ડૉ.ભાવિક પટેલ દ્વારા મોડાસાની સાયન્સ કોલેજમાં સેમિનાર યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓને વ્યસનથી થતાં રોગ અને નુકસાન ની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોલેજના આચાર્ય શ્રી ડૉ.કે.પી.પટેલ અને અધ્યાપક ડૉ.એસ.એમ.દવે તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
