રિપોર્ટ ,મયુર પટેલ


મદદનીશ કમિશનર અને આદિજાતિ અધિકારી સુરત ના સૂચન અને ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત જિલ્લા ની તમામ આશ્રમ શાળાઓ અને ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ઓ મા અભ્યાસ કરતા આદીવાસી વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે મફત આંખ ની તપાસ ના શિબિર ના અનુસંધાને આજે આશ્રમ શાળા અને ઠક્કર બાપા ઉત્તર બુનિયાદી અશ્રમ શાળા વહેવલ ખાતે શાળાના 210 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ની આંખ ની તપાસ કરવામાં આવી અને આંખ ના નંબર વાળા વિદ્યાર્થીઓ ને વિના મૂલ્યે ચશમા અને આંખ ના ટીપાં દવા આપવામાં આવી હતી શાળાના આચાર્ય પ્રેમકુમાર ગોસ્વામી અને કલ્પેશ પટેલે આવનાર ટીમ નું સ્વાગત કર્યું હતું અને આભાર માન્યો હતો