





પ્રમુખ સ્વામી મહારાજની પવિત્ર જન્મ ભૂમિ ચાણસદ ખાતે સ્થિત નારાયણ સરોવરનું પ્રવાસન વિભાગ તથા BAPS સંસ્થાના સહિયારા પ્રયાસોથી નવીનીકરણ કરવામાં આવ્યું. જેનું લોકાર્પણ માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજી ના વરદહસ્તે વંદનીય સંતો-મહંતો તેમજ હરિભક્તોની ગરીમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, આ પ્રસંગે હાજર રહી, સમગ્ર કાર્યક્રમનો સાક્ષી બન્યો. લોકાર્પણ કાર્યક્રમ ઉપરાંત પ્રમુખ સ્વામી મહારાજ જીના જન્મસ્થળ ખાતે પ્રભુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, તેમજ નારાયણ સરોવરની મુલાકાત લઈ પ્રકૃતિ પૂજાનો લાભ પ્રાપ્ત કર્યો.