
ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરજીની ૧૩૨મી જ્યંતી અન્વયે સામાજિક ન્યાય સપ્તાહ અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા વોર્ડ નં-૬ માં મહાકાળી માતા મંદિર, ફતેપુરા ખાતે તેમજ વોર્ડ નં-૨ ના ચરેડી ખાતે સર્વ રોગ નિદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ૨૦૦ થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી ઋચિર ભટ્ટ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ, ગાંધીનગર યુવા મોરચાના પ્રભારીશ્રી ડો. નિસર્ગ વ્યાસ , મહાનગર યુવા મોરચાના પ્રમુખ યુવરાજસિંહ ચાવડા, મહામંત્રી હરેશભાઇ પટેલ તેમજ મહાનગર ભાજપ યુવા મોરચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.