ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે સંતોકબા ધોળકીયા વિધ્યામંદિર માલેગામ ની મુલાકાત લીધી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: 3: ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈએ સાપુતારાના તળેટી, વિસ્તારમા આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિધ્યામંદિર માલેગામ શાળાની મુલાકાત હતી.

તાજેતરમા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા મંત્રીશ્રીએ શાળાના વિધ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતે ચર્ચા કરી વિધ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. તેમજ શાળા પરીસરની મુલાકાત કરી હતી.

આ વેળાએ શ્રી પી.પી. સ્વામી, નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઈ દેશમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ ઠાકરે તથા, ભાજપ મહામંત્રીશ્રી દિનેશભાઇ તેમજ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *