

ઈડર તાલુકા ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુવંદના કાર્યક્રમ અંતર્ગત વિરપુર ખાતે ચામુંડા માતાજી મંદિરના મહંત શ્રી પરસોત્તમદાસનું ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. મંદિર પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ.સંત કબીર કુટીયા આશ્રમ માથાસુર ખાતે પણ ગુરુવંદના કરવામાં આવી. જેમાં સા.કાં. જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ રાજેશભાઈ પરમાર, તાલુકા મોરચાના પ્રમુખ મોતીભાઈ વણકર, મહામંત્રી ખેમાભાઈ પરમાર. ઉપપ્રમુખ શંકરભાઇ વણકર, મંત્રી સાગરભાઈ કર્મયોગી હાજર રહ્યા હતા.
તાલુકા ચીફ મકબુલ હુસૈન….
