
ધી મ. લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રી એમ. કે .શાહ (લાટીવાળા) સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી .એડવાઇઝર શ્રી ડૉ એસ. ડી .વેદિયા તથા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી ગુજકોસ્ટ ના સહયોગ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં ડો.અંજલિ બેન પટેલ અને શ્રીમતી આરતીબેન ભાવસાર તથા શ્રી રિતેશ પ્રજાપતિ જોડાયેલ હતા. આ શૈક્ષણિક પ્રવાસની સફળતા માટે સંસ્થાના માનનીય પ્રમૂખ શ્રી નવીનચંદ્ર આર મોદી, ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ એ અભિનંદન પાઠવ્યા હતાં.