અંકલેશ્વર શહેર ના પૂરગ્રસ્ત નવી વસાહત માં ભાજપ ના હોદ્દેદારો એ અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું
=જિલ્લા ભાજપ માંથી આવેલ અનાજ ની કીટ નું સુધીર ગુપ્તા સહીત ના આગેવાનો એ કીટ નું વિતરણ કર્યું



કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર ના વોર્ડ નંબર 7 માં પૂરગ્રસ્ત નવી વસાહત માં જિલ્લા ભાજપ કાર્યાલય માંથી આવેલ અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર 7 ના પાલિકા ના સભ્ય સુધીરભાઈ ગુપ્તા સહીત ના સભ્યો અને શહેર ભાજપ ના સંગઠન ના હોદ્દેદારો ઘરે ઘરે જઈ અનાજ ની કીટ નું વિતરણ કર્યું હતું
અંકલેશ્વર શહેર ના પૂર અસરગ્રસ્ત વિસ્તારો માં પૂર ના પાણી ઓસરતાં નગર પાલિકા દ્વારા સાફસફાઈ કર્યા બાદ પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો માં અનાજ ની કીટ ના વિતરણ ની વ્યવસ્થા કરી છે ,અંકલેશ્વર ના વોર્ડ નંબર 7 માં આવેલ પૂરગ્રસ્ત વિસ્તાર નવી વસાહત માં વોર્ડ નંબર 7 ના પાલિકા ના સભ્ય સુધીરભાઈ ગુપ્તા ,નગર ,શિક્ષણ સમિતિ ના ચેરમેન ગણેશ અગ્રવાલ ,રાહુલ વામજા ,ધમેશ ચાવડા સહીત શહેર ભાજપ સંગઠન ના હોદ્દેદારો એ ઘરે ઘરે પહોંચી ને અનાજ ની કીટ નું વિતરણ કર્યું હતું તેમજ અન્ય વિસ્તારો માં પણ અનાજ ની કીટ વિતરણ કરવામાં આવશે