
જવાહર બાગ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પી


કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે જવાહર બાગ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પી હતી



આર,એસ,એસ ના પ્રચારક ,ભારતીય જનસંઘ ના અધ્યક્ષ તેમજ સમાજ સેવક વિચારક અને સમાજ સેવક તેમજ શ્રેષ્ઠ સંગઠક પંડિત દીનદયાલ ઉપાધ્યાય નો અંતિમ વ્યક્તિ સુધી સરકાર ની યોજનો પહોંચે અને તેનો લાભ મળે અને ગરીબો ને મુખ્ય ધારા તરફ લાવે તેવા તેમના ઉદ્દેશ હતા અને તેમના ઉદ્દેશ ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલ્યાણકારી યોજનો લોકો સુધી પહોંચાડી ને સાકાર કરી રહ્યા છે ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિતે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ મહામન્ત્રી મિનેષ ગાંધી ,પાલિકા ના પૂર્વ પ્રમુખ વિનય વસાવા,,પાલિકા ના સભ્યો ,શિક્ષણ સમિતિ ના સભ્યો તેમજ શહેર ભાજપ ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા