





માંડવી નગરમાં નવા બસ સ્ટેન્ડની સામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી ના ભાગરૂપે એક સંધ્યા રામ ભક્તિ કે નામ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સંચાલન મિહિર વસાવા તથા તેમની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકાર મુકેશભાઈ ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા ભગવાન શ્રી રામના ભજનો હનુમાન ચાલીસા તેમજ ગીત રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ વીએચપીના પ્રાંત અધિકારી વિક્રમસિંહ ભાટી દિનેશભાઈ રાવ સહિત રાજકીય તેમજ સહકારી આગેવાનો તથા નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
