ધી પ્રોહીબીશન ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ -૨૦૧૩ મુજબ રાજય સકારશ્રીનાં આદેશાનુસાર તમામ ચીફ ઓફિસરશ્રીનગરપાલિકાઓ , મ્યુ.કમિશ્નરશ્રી- મહાનગરપાલિકાઓ તથા જિલ્લા કલેકટરશ્રી હસ્તકના ગટર સફાઈ તથા ખાળકુવા સફાઈ વિગેરેની કામગીરી દરમ્યાન ગટર ગુંગળામણથી વર્ષ ૧૯૯૩ થી આજદિન સુધીમાં ચાલુ ફરજ દરમ્યાન થયેલ સફાઈ કામદારોનાં થયેલા આકસ્મિક મૃત્યુ સંદર્ભે જે તે સમયે મેયર્સ ફંડ અને અન્ય યોજના હેઠળ આર્થિક સહાય આપવા ઉપરાંત નામદાર સરકારશ્રીની સફાઈ કામદારોના વિકાસને ધ્યાને રાખીને આવા મૃત્યુ પામેલા કામદારોના પરિવારને રૂા . ૧૦.૦૦ લાખનું વળતર ચુકવવા માટે આદેશ કરવામાં આવેલ . સદર બાબતે ભારત સરકારશ્રીનાં સફાઈ કામદારોની રાષ્ટ્રીય આયોગ અનુસુચિત જાતિ નવી દિલ્હી , તથા નેશનલ સફાઈ કામદાર કર્મચારી ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન તેમજ ગુજરાત રાજય સફાઈ કામદાર વિકાસ નિગમ , ગાંધીનગરના આ માટે નિર્દિષ્ટ થતા માર્ગદર્શક હુકમો મુજબ સુરત મહાનગરપાલિકાએ આ દિશામાં મૃતક પરિવારોના વારસદારોની ઓળખ કરી તેમને સમયસર આ સહાય મળે એ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી . જે અન્વયે અત્રેના સુરત મહાનગરપાલિકામાંના હદ વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈ કામદારનું ૧૯૯૩ થી આજદિન સુધીમાં ગટર સફાઈની કામગીરી દરમ્યાન મૃત્યુ થયેલ કર્મચારીઓને અત્રેની સ્થાયી સમીતીના ઠરાવ નં . ૯૧૭/૨૦૨૦ , તા . ૧૨/૧૧/૨૦૨૦ મુજબ રૂા . ૧૦.૦૦ લાખનું વળતર ચુકવવાનું ઠરાવવામાં આવેલ છે . જે અન્વયે મરણ પામેલ કુલ -૦૩ ( ત્રણ ) મૃતકોના વારસદારોને તા .૨૦ / ૦૩ / ૨૦૨૧ , નાં રોજ માન . મેયરશ્રીના હસ્તે તથા માન . સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી , માન . ડેપ્યુટી મેયરશ્રી , માન . શાસક પક્ષના નેતાશ્રી અને માન.કમિશ્નરશ્રીની ઉપસ્થિતીમાં રૂા . ૧૦.૦૦ લાખ ( અંકે રૂપિયા દશ લાખ પુરા ) નો ચેક વળતર પેટે અર્પણ કરવામાં આવેલ હતા . વધુમાં ગુજરાત સરકારશ્રી તરફથી અત્રે મળેલ લીસ્ટ મુજબ ૧૫ ર ગટર ગુંગળામણ થી મૃત્યુ પામેલ મૃતકો પૈકી ૨૧ મૃતકોના સુરત શહેર હદ વિસ્તારમાં મૃત્યુ થયેલ હતા . જે પૈકી શ્રી ( ૧ ) છગનભાઈ જાલાભાઈ સંગાડાના પુત્ર સંજયભાઈ છગનભાઈ સંગાડાને , ( ૨ ) સુરસીંગભાઈ જાલાભાઈ સંગાડાના માતૃશ્રી દીતુડીબેન જાલાભાઈ સંગાડાને ( ૩ ) તગા પરિમલ ઉર્ફે તગારામ પ્રેમારામના પત્ની સીતાદેવી તગ્ગારામ ભીલ ને આજરોજ તા .૨૦ / ૦૩ / ૨૦૨૧ ના રોજ માન . મેયરશ્રીના હસ્તે તથા માન . સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી , માન . ડેપ્યુટી મેયરશ્રી , માન . શાસક પક્ષના નેતાશ્રી અને માન.કમિશનરશ્રીની ઉપસ્થિતીમાં રૂા . ૧૦.૦૦ લાખ ( અંકે રૂપિયા દશ લાખ પુરા ) નો ચેક વળતર પેટે અર્પણ કરવામાં આવેલ છે . આ પ્રસંગે મે.મેયરશ્રી અને માન.કમિશ્નરશ્રીએ મૃતકના પરિવારને સહાનુભુતિ પૂર્વક તેમની હાલની આર્થિક સ્થિતિ તથા ઘરમાં કામ કરનાર બાળકો વિગેરેની પૃચ્છા કરી તેમને સાંત્વના આપી હતી તથા સરકારશ્રીની આ યોજના હેઠળ તેમને આ સહાય આપવામાં આવી છે તે અંગેની તેઓને જાણ પણ કરી હતી . વધુમાં અન્ય મરણ પામેલ મૃતકોને આ મુજબનુ વળતર ચુકવવા બાબતે તેઓશ્રીના વારસદાર દ્વારા કાયદેસરના તમામ પુરાવા તેમજ પેઢીનામું વિગેરે રજુ કર્યેથી રૂા . ૧૦.૦૦ લાખનું વળતર ચુકવવા માટે સુરત મહાનગરપાલિકા કટિબધ્ધ છે અને તેઓના કાયદાકીય પુરાવાઓ મળેથી સુરત મહાનગરપાલિકા તરફથી તેઓને તાકીદના ધોરણે આ આર્થિક સહાય પુરી પાડવામાં આવશે .




