વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં કોરોના સંક્રમીત દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. છેલ્લા 6 મહિનાથી ‘‘કર્મ એ જ પુજા’’ ના મંત્ર સાથે ગોત્રી હોસ્પિટલની જવાબદારી એડમિનીસ્ટ્રેટીવ નોડલ ઓફીસર તરીકે ડો. શિતલભાઈ મિસ્ત્રી સુપેરે નિભાવી રહ્યાં હતા. ડો. શિતલભાઈ મિસ્ત્રીના નેતૃત્વમાં પાંચ હજારથી વધુ કોરોના સંક્રમીત દર્દીઓની સઘન સારવાર થઈ રહી હતી. 400 થી વધુ હોસ્પિટલના સ્ટાફનું મોનિટરીંગ તેમના દ્વારા થઈ રહ્યું હતું. આ દરમિયાન ડો. શિતલભાઈ મિસ્ત્રી કોરોના સંક્રમિત થયા. ડો. શિતલભાઈ મિસ્ત્રી સાથે ટેલીફોનીક વાતચિત કરી તેમના ખબર-અંતર પૂછ્યાં હતાં. તેમને જલદી સ્વસ્થ થઈ પુનઃ દર્દીઓની સેવામાં જોડાઈ જાવ તેવી શુભકામનાઓ પાઠવી હતી.




