ગેરકાયદે તમાકુ ઉત્પાદનો સામેની લડાઈમાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના બીજા દરોડાને પરિણામે સુરત રેલ્વે સ્ટેશન પર…
December 17, 2022
પ્રધાનમંત્રી આવતીકાલે શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની સુવર્ણ જયંતીની ઉજવણીમાં ભાગ લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી ડિસેમ્બર 2022ના રોજ શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (NEC) ની સુવર્ણ જયંતીની ઉજવણી કરશે.…
પ્રધાનમંત્રીએ 19-25 ડિસેમ્બર, 2022 દરમિયાન મનાવવામાં આવતા બીજા “સુશાસન સપ્તાહ” (ગુડ ગવર્નન્સ વીક)ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આગામી 25 વર્ષના અમૃતકાળ દરમિયાન લોકોએ ગૌરવશાળી અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ…
પ્રધાનમંત્રી 18મી ડિસેમ્બરે મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી ડિસેમ્બરે મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે. શિલોંગમાં, પ્રધાનમંત્રી ઉત્તર પૂર્વીય પરિષદની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે. સવારે લગભગ 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી સ્ટેટ કન્વેન્શન સેન્ટર, શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. ત્યાર બાદ, લગભગ 11:30 વાગ્યે, તેઓ શિલોંગમાં એક જાહેર સમારંભમાં બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. ત્યારપછી તેઓ અગરતલા જશે અને બપોરે લગભગ 2:45 વાગ્યે એક જાહેર સમારંભમાં તેઓ વિવિધ ચાવીરૂપ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મેઘાલયમાં પી.એમ પ્રધાનમંત્રી નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ ઉદ્ઘાટન 7મી નવેમ્બર, 1972ના રોજ કરવામાં આવ્યું હતું. NEC એ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સામાજિક–આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને પ્રદેશના તમામ રાજ્યોમાં વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સ અને અન્ય વિકાસ પહેલોને સમર્થન આપ્યું છે. તેણે મૂલ્યવાન મૂડી અને સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, રમતગમત, જળ સંસાધનો, કૃષિ, પર્યટન, ઉદ્યોગ સહિતના ક્ષેત્રોના નિર્ણાયક અંતરના ક્ષેત્રોમાં બનાવવામાં મદદ કરી છે. એક જાહેર સમારંભમાં, પ્રધાનમંત્રી રૂ. 2450 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે.. પ્રદેશમાં ટેલિકોમ કનેક્ટિવિટીને વધુ વેગ આપવાના એક પગલામાં, પ્રધાનમંત્રી રાષ્ટ્રને 4G મોબાઇલ ટાવર સમર્પિત કરશે, જેમાંથી 320થી વધુ પૂર્ણ થઈ ગયા છે અને લગભગ 890 બાંધકામ હેઠળ છે. તેઓ ઉમસાવલી ખાતે IIM શિલોંગના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ શિલોંગ – ડિએન્ગપાસોહ રોડનું ઉદ્ઘાટન કરશે, જે નવા શિલોંગ સેટેલાઇટ ટાઉનશીપ અને શિલોંગની અવરજવરને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેઓ ત્રણ રાજ્યોમાં, મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ચાર અન્ય રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે.. તેઓ મેઘાલયમાં મશરૂમ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સ્પૉન લેબોરેટરીનું ઉદ્ઘાટન કરશે જેથી મશરૂમ સ્પૉન ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતો અને ઉદ્યમીઓ માટે કૌશલ્ય પ્રશિક્ષણ પણ મળે. તેઓ ક્ષમતા નિર્માણ અને ટેકનોલોજી અપગ્રેડેશન દ્વારા મધમાખી ઉછેર કરતા ખેડૂતોની આજીવિકા સુધારવા માટે મેઘાલયમાં સંકલિત મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. વધુમાં, તેઓ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં 21 હિન્દી પુસ્તકાલયોનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોમાં છ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ તુરા અને શિલોંગ ટેક્નોલોજી પાર્ક ફેઝ-2 ખાતે ઈન્ટીગ્રેટેડ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ પણ કરશે. ટેક્નોલોજી પાર્ક ફેઝ-2માં લગભગ 1.5 લાખ ચોરસ ફૂટનો બિલ્ટ–અપ વિસ્તાર હશે. તે વ્યાવસાયિકો માટે નવી તકો પ્રદાન કરશે અને 3000 થી વધુ નોકરીઓનું સર્જન કરશે તેવી અપેક્ષા છે. ઈન્ટીગ્રેટેડ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરમાં કન્વેન્શન હબ, ગેસ્ટ રૂમ, ફૂડ કોર્ટ વગેરે હશે. તે પર્યટનને પ્રોત્સાહન આપવા અને પ્રદેશમાં સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. ત્રિપુરામાં પી.એમ પ્રધાનમંત્રી રૂ. 4350 કરોડથી વધુના મૂલ્યની વિવિધ ચાવીરૂપ પહેલોનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે.પ્રધાનમંત્રીનું નોંધપાત્ર ધ્યાન એ સુનિશ્ચિત કરવા તરફ રહ્યું છે કે દરેકનું પોતાનું ઘર હોય. પ્રદેશમાં આને સુનિશ્ચિત કરવા માટેના એક મુખ્ય પગલામાં, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ હેઠળ લાભાર્થીઓ માટે ગૃહ પ્રવેશ કાર્યક્રમ શરૂ કરશે. 3400 કરોડથી વધુના ખર્ચે વિકસિત આ મકાનો 2 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેશે. રોડ કનેક્ટિવિટીને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરીને, પ્રધાનમંત્રી અગરતલા બાયપાસ (ખૈરપુર–અમતાલી) NH-08 ને પહોળો કરવા માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જે અગરતલા શહેરમાં ટ્રાફિકની ભીડને હળવી કરવામાં મદદ કરશે. તેઓ PMGSY III (પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના) હેઠળ 230 કિલોમીટરથી વધુ લંબાઈના 32 રસ્તાઓ અને 540 કિલોમીટરથી વધુના અંતરને આવરી લેતા 112 રસ્તાઓના સુધારણા માટે શિલાન્યાસ પણ કરશે.…
પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અભદ્ર ટિપ્પણીથી સમગ્ર દેશમાં રોષ ભભૂક્યો.
ઉનામાં યુવા મોરચા દ્વારા પૂતળાં દહન સાથે પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર અપાયું તાજેતરમાં અમેરીકા નાં…
પાકિસ્તાન હાય હાય… ભુટ્ટો હાય હાય… ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, ભરૂચમાં પાક વિદેશમંત્રીનું જિલ્લા ભાજપે પૂતળું ફૂંકયુ
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી અને સંઘ સામે અસંસદીય ભાષાના પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનને દેશ વ્યાપી ભાજપના…
રૂપાલ ઝાંઝરી માતાજી મંદિરના સાનિધ્યમાં રામકથાનો આરંભ…
મનુભાઈ નાયી. પોથીયાત્રામાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉંટ્યા…
મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું
રીપોર્ટ મહેશ ડી સિઘવ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટીપ્પણી…
