ગળપાદર ગામે કૃષિ સુધારા બિલ વિશે ખેડૂતો ની બેઠક મા માર્ગદર્શન આપતા ગાંધીધામ – મુન્દ્રા ના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી સાથે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી બાબુભાઈ ગુજરીયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ગીતાબેન મ્યાત્રા, વરીષ્ઠ આગેવાન શ્રી નારાણભાઈ આહીર, તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી સિધ્ધરાજ સિંહ જાડેજા, તાલુકા ભાજપના મહામંત્રીઓ શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, શ્રી શૈલેષભાઈ લાવડીયા, એ.પી.એમ.સી. ડાયરેક્ટર શ્રી નારાણભાઈ આહીર બાબરીયા, અગ્રણીઓ શ્રી વેલજીભાઈ સોધમ, શ્રી ભરતસિંહ જાડેજા, શ્રી ધનરાજભાઇ ગઢવી શ્રી સુજાભાઈ રબારી, શ્રી કિશોરભાઈ વિરડા, શ્રી નથુભાઈ સોલંકી, શ્રી જ્યોત્સનાબેન ગોસ્વામી તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત માં ગામના તાજેતરમાં અવસાન પામેલા અગ્રણીઓ સ્વ. શંભુભાઇ કાનાભાઈ વિરડા, અને સ્વ. રવાભાઈ મ્યાત્રા ને શ્રધાંજલિ આપવામાં આવી હતી.કાર્યક્રમ નું સંચાલન શ્રી ભરતસિંહ જાડેજા અને આભારવિધિ શ્રી શૈલેષભાઈ લાવડીયા એ કરી હતી




