
રિપોર્ટ મયુર પટેલ.
આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી નવસારી જિલ્લામાં હાઇસ્કુલ રનર્સ અપ માનનીય વડાપ્રધાન અને વિશ્વવિભૂતિ શ્રી નરેન્દ્ર ભાઈ મોદી આઝાદીના 75 વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં અને જ્યાં જ્યાં ભારતીય રહે છે ત્યાં ઉમળકાભેર રાષ્ટ્રીય ઉત્સવ ઉજવાય શાળા કક્ષાએ ખાસ આ ઉજવણી ઉપર એમણે ભાર મૂક્યો દેશની શૈક્ષણિક સંસ્થાઓ આ ઉજવણીમાં જોડાઈ ગઈ પરિણામ સ્વરૂપ આજે દેશભરમાં વિદ્યાર્થીઓના ઘડતરની કામગીરી થઈ રહી છે વિદ્યાર્થીઓમાં 360 ડિગ્રી પરિવર્તન આવી રહ્યું છે વડાપ્રધાન શ્રી ના એક સંકલ્પથી લાખો વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયતામાં રંગ્યા
નવસારીની સયાજી લાઈબ્રેરી કે જેના સ્વર્ગસ્થ અધિષ્ઠાતા મહાદેવભાઇ દેસાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નવસારી જિલ્લામાં વાંચે ગુજરાત અભિયાન ના જન્મદાતા પોખવા નવસારી આવ્યા હતા સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા એક વર્ષથી નવસારી જિલ્લાની શાળાઓમાં આઝાદીના અમૃત મહોત્સવ અને ઝવેરચંદ મેઘાણીની 125મી માં જયંતિ નિમિત્તે વિવિધ પ્રકારની દસ જેટલી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું વિશિષ્ટ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું આ પ્રવૃત્તિમાં ગ્રામ્ય વિસ્તારમાં 1500 વિદ્યાર્થી ધરાવતી શ્રી બી એલ પટેલ સર્વ વિદ્યામંદિર જોડાઈ હતી શાળાએ અનેક પ્રવૃત્તિ થકી નવસારી જિલ્લામાં આ સ્પર્ધામાં બીજો ક્રમ પ્રાપ્ત કરી ગૌરવ પ્રાપ્ત કર્યો શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા ખાસ કરીને 95 ટકા આદિવાસી બાળકો છેલ્લા દસ વર્ષથી અનેક સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભા દર્શાવી સરકારી ગ્રાન્ટેડ શાળા શિક્ષણ વિભાગ દ્વારા માવજત અને કર્મશીલ બનતા ગુજરાત રાજ્યમાં અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે
નવસારી જિલ્લાના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા શાળાને અભિનંદન પાઠવવામાં આવ્યા સ્થાનિક જિલ્લા પંચાયત સદસ્ય પ્રમુખ શ્રી તાલુકા પંચાયત સદસ્ય શ્રી દ્વારા શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા
