
કમલમ ન્યુઝ,નરેન્દ્ર પટેલ,ભરૂચ
દહેજ ખાતે આવેલ હરિ મહારાજ મંદીર ખાતે સાગરભારતી દ્વારા “17 સપ્ટેમ્બર સાગર સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સાગર સ્વચ્છતા અભિયાન નો પ્રતીકાત્મક કાર્યક્રમ કર્યો. આ કાર્યક્રમ માં દહેજ ગામના સ્થાનિક નાગરિકો, દહેજ એસોસિએશન ના પ્રમુખશ્રી ડૉ. એમ.એ.હનીયા સાહેબ, તથા એસોસિએશન ના સભ્યો, લઘુઉદ્યોગ ભારતીના મહેન્દ્રસિંહ તથા તેમની ટીમ, તેમજ સાગરભારતીના પ્રાંત પ્રમુખશ્રી સુનિલભાઈ મિસ્ત્રી, સાગર સ્વચ્છતા અભિયાન ના જિલ્લા સંયોજક શ્રી ચિરાગભાઈ શાહ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ હતુ.
