
મનુભાઈ નાયી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે નીલકંઠ મહાદેવ પાછળની ખુલ્લી જગ્યામાં ગ્રામજનો દ્વારા સમસ્ત સમાજના વિવિધ કાર્યક્રમો માટે વિશાળ સમાજવાડી નું નિર્માણ થનાર છે ત્યારે આજે તા૩જી નવેમ્બર ના રોજ વિધિવત્ સમાજવાડી નું ભૂમિ પૂજન દિલીપભાઈ શુક્લ દ્વારા કરાવવામાં આવ્યું હતુ., યજમાન પદે અશોકભાઈ પશાભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની કૈલાસબેન બેઠાં હતાં.આ પ્રસંગે ગામના સરપંચશ્રી ગીરીશભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ જનકભાઈ પટેલ આગેવાન રમેશભાઈ પટેલ નટુભાઈ પટેલ પ્રતાપસિંહ ચૌહાણ અને ગામઆગેવાનોએ આ સામૂહિક ધર્મ કાર્યક્રમમાં જોડાયા હતા.અને ઝડપથી આ સમાજવાડી નિર્માણ પામે એ માટે નું આયોજન કર્યું હતું..