



રાકેશ વાળા
વ્યારા નગપાલિકા ના કારોબારી ચેરમેન શ્રી કુલીનભાઈ પ્રધાન ના ઘરે પધારેલ દેશ વિદેશ થી પધારેલ સાધુ સંતો નો સ્વાગત કરવામાં આવેલ, દેશ વિદેશ થી પધારેલ સાધુ સંત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને બાળપણ તથા જીવન ચરીત્ર ની સમજણ, ગીતા નું રસ પાન કરાવિયું, સામજિક કાર્યકર શ્રી રવિભાઈ મોરે, અંકુર પટેલ,કૃણાલ પ્રધાન, રાજુભાઈ શાહ, તથા વડીલ શ્રી શિરીષભાઈ પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. હરે રામ હરે કૃષ્ણ ની ધૂન લાગી અને સમગ્ર વાતાવરણ ભક્તિ મય બની ગયુ હતુ. વિદેશી સંતો એ રામ અને કૃષ્ણ ની ભુમી પાવન , પવિત્ર ગણાવી, ભારત ના લોકો લાગણી શિલ , પ્રેમાળ, ભાવુક છે, ભારત દેશ મહાન છે જયાં ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રામ જન્મિયા , સંતો રશિયા, સાઇબિરીયા, યુકેન, બ્રિટેન, ઇન્ડિયા વગેરે .. દેશો થી વિવિધ પ્રકારની ભાષા મા ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાન કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના કિર્તન, હરે રામા હરે ક્રિષ્ના એવુ સર્વે સંતો એ જણાવીયુ.