



કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
તા. 2-4 ફેબ્રુઆરી 2023ના રોજ પદમડુંગરી ખાતે ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી ડૉ. નરેશ શુક્લ દ્વારા આયોજિત સર્જનાત્મક લેખન શિબિર-19 સંપન્ન થયો. આ શિબિરનો પ્રારંભ પ્રતિષ્ઠિત સર્જક વિનોદ જોશીના બીજ વ્યાખ્યાનથી થયો. આ શિબિરના પ્રશિક્ષણ માટે રંગમંચ સાથે સંકળાયેલા શ્રી ધ્વનિલ પારેખ, શ્રી દીપક ભટ્ટ, શ્રી જિતેન્દ્ર મેકવાન, મુંબઈથી શ્રી કવિત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં. ‘નાટકમાં પદ્યનો વિનિયોગ’ વિષય પર કેન્દ્રિત આ શિબિરમાં કુલ – 49 શિબિરાર્થી ઉપસ્થિત રહ્યા. દ્વારિકા, જામનગર, મુંબઈ, બેંગલોરથી માંડી સાબરકાંઠા વિસ્તારમાંથી આવેલા જૂદા જૂદા વયજૂથના શિબિરાર્થીઓએ કુલ છ ટીમોમાં વહેંચાઇને 6 સ્ક્રિપ્ટ લખવાથી માંડીને ભજવણી સુધીનો પ્રત્યક્ષ અનુભવ લીધો. એમનાં પ્રતિભાવોમાં જીવનભર સ્મૃતિબદ્ધ રહેનારા શિબિરની સફળતા છલકાતી હતી. છેલ્લે સંયોજક નરેશ શુક્લ દ્વારા શિબિરનું પ્રમાણપત્ર આપીને સમાપન કરાયું હતું.
