

કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે
આઝાદી કા અમૃત મહોત્સવ અને આગામી ૧૦૦ દિવસના લક્ષ્યાંક અંતર્ગત કુપોષિત બાળકોની ખાસ કાળજી લેવા જિલ્લા પંચાયત સંકલીત બાળ વિકાસ યોજના હેઠળ પ્રોગ્રામ ઓફિસર શ્રી તન્વી પટેલના માર્ગદર્શન હેઠળ “પોષક વાલી પ્રોજેક્ટ” ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવેલ છે. જેમાં વિવિધ અધિકારી-પદાધિકારીઓ દ્વારા વિવિધ આંગણવાડીઓ દત્તક લેવામાં આવેલ છે. જેમાં તાજેતરમાં સોનગઢ ચિફ ઓફિસરશ્રી ધર્મેશભાઇ ગોહિલ દ્વારા સોનગઢ સેજાની ૦૬ આંગણવાડી કેન્દ્રો ખાતે કુલ-૪૧ બાળકોને પોષણકીટ રૂપે વિતરણ કરવામાં આવી હતી.