





“Our Aim, Zero Harm” ના ઉદ્દેશ્યથી “૫૨ મા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ” ની ઉજવણી પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ સાથી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ સાથે જી.ઈ.બી. કોલોની ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા. અગ્રસચિવશ્રી ડૉ.અંજુ શર્મા અને ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ શ્રી પી.એમ.શાહ સહિતના અધિકારીશ્રીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા.
કામદારોની સલામતી એ ઉધોગનું પહેલું પગથિયું હોઈ, સલામતીના માનકો અનુસાર કામ કરવા જણાવ્યું. પ્રત્યેક નાગરિકોની સલામતી થી રાષ્ટ્રની સલામતીનું આપણું લક્ષ્ય સાધી શકાશે.