
માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સંત શ્રી બજરંગદાસ બગદાણાવાળા બાપા સીતારામ પ્રાથમિક શાળા અને શ્રી પુરુષોત્તમજી પ્રાથમિક શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સંત કવિશ્રી નરસિંહ મહેતા પ્રાથમિક શાળા (ઈંગ્લીશ મીડીયમ) ની મુલાકાત કરી હર્ષોલ્લાસના વાતાવરણમાં સ્વર્ણિમ ભારતનું ભવિષ્ય એવા બાળકો સાથે વાર્તાલાપ કર્યો.













આ તકે રાજ્ય શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર શિક્ષણનો વ્યાપ વધે અને અંત્યોદયના વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત બને એ માટે સતત કાર્યશીલ છે.